સરકાર બનતા પહેલા જેડીયુંનું મોટું નિવેદન: અગ્નિવીર પર ફરીથી વિચાર કરવાની જરૂર, વન નેશન વન ઈલેક્શન પર અમે સાથે, યુનિફોર્મ સિવિલ કોડ પર આજે પણ અમારું વલણ એવું જ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06062024_081405_JDU.webp)
- 06 Jun, 2024
એનડીએની સહયોગી પાર્ટી જનતા દલ યુનાઈટેડે મોટું નિવેદન આપતા કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ પર અમારું વલણ આજે પણ એવુંને એવું જ છે. જેડીયુ મહાસચિવ અને પ્રવક્તા કેવી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે આ મામલા પર તમામ સ્ટેટ હોલ્ડરે સાથે મળીને ચાલવાની આવશ્યકતા છે.
કેસી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે આ મામલા પર તમામ સ્ટેટ હોલ્ડરને સાથે લઈને તેમના વિચારોને સમજવાની જરૂર છે. UCC પર નીતીશ કુમારે વિધિ આયોગના અધ્યક્ષને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ તેમાં વ્યાપક ચર્ચા-વિચારણની જરૂર છે.
અગ્નવીર યોજના પર પુનર્વિચાર કરવાની જરૂર છેઅગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતાં કેસી ત્યાગીએ કહ્યું, 'અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે. અગ્નવીર યોજનાને નવી રીતે વિચારવાની જરૂર છે. સેનામાં સુરક્ષાકર્મીઓ તૈનાત હતા અને જ્યારે પણ અગ્નિવીર યોજના આવી ત્યારે એક મોટા વર્ગમાં અસંતોષ જોવા મળ્યો હતો. હું માનું છું કે તેમના પરિવારના સભ્યોએ પણ ચૂંટણીમાં વિરોધ કર્યો હતો, તેથી આજે નવી રીતે ચર્ચા કરવાની જરૂર છે.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએવન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતી વખતે કેસી ત્યાગીએ કહ્યું કે જ્યાં સુધી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો સવાલ છે, અમે તેના સમર્થનમાં છીએ. કેસી ત્યાગીએ કહ્યું, 'અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. અમે અટબિહારીની એનડીએ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે. અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કે તેઓ કયું મંત્રાલય કોને આપશે. અમારી આવી કોઈ માંગ નથી.